અમૃતસરમાં ગેંગસ્ટર જરનૈલ સિંહની ગોળી મારી હત્યા કરાઈ

Spread the love

અમૃતસર
પંજાબના અમૃતસરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહી ગેંગસ્ટર જરનૈલ સિંહની હત્યા કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલાક અજ્ઞાત લોકોએ જરનૈલ સિંહ પર 20-25 ગોળીઓ મારી હતી, જેમાં જરનૈલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટના અમૃતસરના બાબા બકાલા પાસેના સથિયાલા ગામની છે. અહીં કેટલાક લોકોએ જરનૈલ સિંહ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘટના બાદ જરનૈલ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં માસ્ક પહેરેલા લોકો ગોળીઓ ચલાવતા જોવા મળે છે.

Total Visiters :132 Total: 1091535

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *