નવી દિલ્હી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે દિલ્હી પોલીસના રિપોર્ટને સ્વીકારી લીધો છે. કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ગેહલોત વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
દિલ્હી પોલીસના રિપોર્ટના આધારે રાઉઝ એવન્યુ કોર્ટ 1 જૂને સુનાવણી કરશે. રિપોર્ટના આધારે કોર્ટ નક્કી કરશે કે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની માનહાનિની ફરિયાદ પર સમન્સ જારી કરવામાં આવે કે નહીં.
Total Visiters :132 Total: 679282