મણિપુરમાં આતંકીઓના ગોળીબારમાં જવાન શહીદ, અન્ય બે ઘાયલ

Spread the love

ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા

ઈમ્ફાલ

મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે આતંકવાદીઓના ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. આ ઉપરાંત અન્ય બે જવાન પણ ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે.

આજે મોડી રાત્રે સેરૌ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથ વચ્ચેની ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો જ્યારે આસામ રાઈફલ્સના બે જવાન ઘાયલ થયા હતા. આ ઘટના અંગેની જાણ સૈન્ય અધિકારીએ આપી હતી. ભારતીય સેનાના સ્પીયર કોર્પ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બીએસએફએક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે બે આસામ રાઈફલ્સના જવાનોને ગોળી વાગી હતી. ઘાયલ જવાનોને એરલિફ્ટ કરીને મંત્રીપુખારી લઈ જવામાં આવ્યા છે.

મણિપુરમાં સુગનુ – સેરૌના વિસ્તારોમાં આસામ રાઇફલ્સ, બીએસએફ અને પોલીસ દ્વારા વ્યાપક ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. ગઈકાલ આખી રાત દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓના જૂથો વચ્ચે તૂટક તૂટક ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો.

Total Visiters :127 Total: 1091605

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *