સિગ્નલ-ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં અનેક સ્તરે ક્ષતિઓથી ટ્રેન અકસ્માત થયો

Spread the love

પંચે તપાસ રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપી દીધો, સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર આવતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો 2 જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત

બાલાસોર

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 290 થી વધુ લોકોના મોત માટે જવાબદાર કોણ? તેના પર હાલના એક રીપોર્ટ દ્વારા પ્રકાશ પડે છે. આ અહેવાલમાં, રેલ્વે સુરક્ષા કમિશનએ જણાવ્યું હતું કે, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં અનેક સ્તરે ક્ષતિઓને કારણે ટ્રેન અકસ્માત થયો હતો. આ અંગે પંચે તપાસ રિપોર્ટ રેલવે મંત્રાલયને સોંપી દીધો છે. 

રિપોર્ટમાં જણાવ્યું છે કે, બે નબળા રિપેરિંગ કામ કે જે વર્ષ 2018માં અને દુર્ઘટનાના થોડા કલાકો પહેલા થયું હતું તેના કારણે કોરોમંડલ એક્સપ્રેસ અન્ય ટ્રેક પર માલગાડી સાથે અથડાઈ હતી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આવી જ ઘટના 16 મે 2022ના રોજ ખડગપુર રેલવે ડિવિઝન હેઠળના બંગાળના એક સ્ટેશન પર બની હતી. તે દરમિયાન ખોટા વાયરિંગને કારણે ટ્રેન અલગ રૂટ પર ગઈ હતી.

રિપોર્ટમાં જણાવાયું છે કે, જો સ્થાનિક સિગ્નલિંગ સિસ્ટમમાં વારંવાર આવતી સમસ્યાઓને દૂર કરવામાં આવી હોત તો 2 જૂનની ઘટનાને અટકાવી શકાઈ હોત. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું કે, કોરોમંડલ એક્સપ્રેસનો અકસ્માત અગાઉ કરવામાં આવેલા સિગ્નલિંગ સર્કિટમાં ખામીને કારણે થયો હતો. ખાસ વાત એ છે કે, રિપોર્ટમાં નોંધાયેલી માહિતી સીબીઆઈ તપાસમાં સામેલ કરવામાં આવશે. જો કે, એક હકીકત એ પણ છે કે રેલ્વે મંત્રાલય આ અહેવાલને સ્વીકારી અથવા નકારી પણ શકે છે.

Total Visiters :123 Total: 1091622

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *