બિહારમાં સરકારી બંગલામાં વધુ સમય રોકાનારા ધારાસભ્યોને લાખોનો દંડ

Spread the love

કાર્યવાહીનો સામનો કરનારા પૂર્વ મંત્રીઓએ મુખ્યમંત્રી, બિહાર બિલ્ડિંગ બાંધકામ વિભાગના મંત્રી અને બિહાર વિધાનસભા સચિવાલયને પત્રો લખીને દંડને અયોગ્ય ગણાવ્યો


પટણા
બિહારમાં નીતીશ કુમારની આગેવાની હેઠળની સરકારના બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટે રાજ્યની અગાઉની એનડીએ સરકારમાં મંત્રી પદ પર રહેલા ભાજપના કેટલાક ધારાસભ્યો પર સરકારી બંગલામાં નક્કી સમયમર્યાદાથી વધુ સમય રોકાવા બદલ ભારે દંડ ફટકાર્યો છે. જે ધારાસભ્યોને દંડ ફટકારાયો છે તેમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવી (1.26 લાખ રૂપિયા દંડ), પૂર્વ મંત્રીઓ – આલોક રંજન (રૂ. 1.67 લાખ), રામસુરત કુમાર (રૂ. 90928), જીબેશ કુમાર (રૂ. 1.29 લાખ) અને જનક રામ (રૂ. 65922) સમાવેશ થાય છે.
આ દરમિયાન કાર્યવાહીનો સામનો કરનારા પૂર્વ મંત્રીઓએ મુખ્યમંત્રી નીતિશ કુમાર, બિહાર બિલ્ડિંગ બાંધકામ વિભાગના મંત્રી અશોક ચૌધરી અને બિહાર વિધાનસભા સચિવાલયને પત્રો લખીને તેમના પર લાદવામાં આવેલા દંડને “અયોગ્ય” ગણાવ્યો હતો. તેમણે આ દંડ માફ કરવાની માગ પણ કરી હતી. જેડીયુના ટોચના નેતા નીતીશ કુમારે એનડીએ છોડીને આરજેડી સાથે મળીને રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બનાવ્યા બાદ ભાજપના મંત્રીઓને બંગલો ખાલી કરવા કહી દેવાયું હતું.
ભાજપના વરિષ્ઠ નેતા અને કલા, સંસ્કૃતિ અને યુવા વિભાગના પૂર્વ મંત્રી આલોક રંજને કહ્યું કે “મારા પર લાદવામાં આવેલો 1.67 લાખ રૂપિયાનો દંડ સંપૂર્ણપણે અયોગ્ય છે. મને મકાન બાંધકામ વિભાગ દ્વારા નવેમ્બર 2022માં મંત્રીનો બંગલો (33, હાર્ડિંગ રોડ) ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું…. પરંતુ મને ધારાસભ્ય માટે કોઈ વૈકલ્પિક મકાન આપવામાં આવ્યું ન હતું અને મેં આ અંગે વિભાગને જાણ પણ કરી હતી.’ તેણે કહ્યું, “જેમ કે મને વિભાગ દ્વારા નવું ઘર આપવામાં આવ્યું, મેં તરત જ મંત્રી બંગલો ખાલી કરી દીધો. મારા તરફથી કોઈ દોષ વિના થોડા દિવસ મંત્રીના બંગલામાં રહેવા બદલ દંડ અયોગ્ય છે. મેં મુખ્યમંત્રી અને મકાન બાંધકામ પ્રધાન અશોક ચૌધરીને દંડ માફ કરવા વિનંતી કરી છે.

Total Visiters :122 Total: 1097608

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *