અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાવાપીના સર્વે સામેની મુસ્લિમ પક્ષની અરજી સ્વિકારી

Spread the love

હાઈકોર્ટ આ મામલે બુધવારે સુનાવણી કરશે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો હાજર રહેશે, હાઈકોર્ટ બુધવારે જ પોતાનો ચુકાદો આપશે


અલ્હાબાદ
અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વે અંગે મુસ્લિમ પક્ષની અરજી સ્વીકારી લીધી છે. હવે બુધવારે એટલે કે આવતી કાલે હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરશે. આ દરમિયાન હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો હાજર રહેશે. હાઈકોર્ટ આવતીકાલે જ પોતાનો ચુકાદો આપશે. સુપ્રિમ કોર્ટે એએસઆઈના સર્વે પર આવતીકાલ સાંજ સુધી રોક લગાવી છે અને તે પહેલા આ મામલે નિર્ણય આપવા હાઈકોર્ટને આદેશ આપ્યો છે. તે જ સમયે, હાઇકોર્ટે જ્ઞાનવાપી સાથે સંબંધિત અન્ય કેસોની પણ સુનાવણી કરી અને ચુકાદો અનામત કર્યો છે. આ બાબતોનો ચુકાદો 28મીએ સંભળાવવામાં આવશે.
અગાઉ 21 જુલાઈએ હિન્દુ પક્ષની અરજી પર વારાણસીની જિલ્લા ન્યાયાધીશની અદાલતે જ્ઞાનવાપીના એએસઆઈને સર્વે કરાવવા અને 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ગઈકાલે સવારે જ્ઞાનવાપીનો સર્વે પણ શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી જ્યારે એએસઆઈ સર્વે પર બે દિવસનો સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મુસ્લિમ પક્ષ સર્વે પર પ્રતિબંધ લગાવવા માટે અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. હિન્દુ પક્ષે પહેલેથી જ હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે, જેથી મુસ્લિમ પક્ષને કોઈપણ પ્રકારની રાહત આપતા પહેલા હાઈકોર્ટે તેમનો પક્ષ પણ સાંભળશે.

Total Visiters :176 Total: 1093734

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *