એસોસિએશનનો તમામ કામોના નવા ટેન્ડર તા.01-08-2023થી ભરવા નહીં તેવો નિર્ણય, તે અંગેના ઠરાવો પણ કરવામાં આવ્યા
અમદાવાદ
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન ની ગુજરાત સરકાર દ્ધારા સ્વીકારેલ ત્રણ વ્યાજબી માંગણીના એમાથી 2ના તો પરિપત્રો થયેલ છે. તેમ છતાં પણ આજ-દિન સુધી અંદાજે દોઢ વર્ષ કરતા વધુ સમય થયો હોવા છતા તેની અમલીકરણ ન થવાથી ગુજરાતના તમામ કોન્ટ્રાકટર ભાઇઓ આર્થિક સંકટમાં આવી ગયા છે અને તમામ કામોના નવા ટેન્ડર તા.01-08-2023થી ભરવા નહિં તેવો નિર્ણય કરેલ છે અને તે અંગેના ઠરાવો પણ કરવામાં આવેલ છે.
આ વ્યાજબી અને લાંબા સમયથી પડતર માંગણીઓ નીચે મુજબ છે. સરકારના તમામ વિભાગોમાં સ્ટાન્ડર્ડ બીડીંગ ડોક્યુમેન્ટ મુજબ ટેન્ડર કાઢવામાં આવે. જીએસટી વગરના ટેન્ડર બહાર પાડવામાં આવે. દરેક જિલ્લાવાર નવા એસઓઆર બનાવવામાં આવે.
ગુજરાતના તમામ કોન્ટ્રાકટરો ઉપરોક્ત ત્રણે માંગણીનું અમલીકરણ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તમામ કામોના