એન્જિનિયરિંગમાં એડમિશન લીધા પછી, ગૌરવને તેની સીટ કન્ફર્મ કરવા માટે 16 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં તેનું જાતિનું પ્રમાણપત્ર સબમિટ કરવાનું હતું
મુંબઈ
બોમ્બે હાઈકોર્ટે 15 ઓગસ્ટે રજાના દિવસે પણ કેસની સુનાવણી કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગૌરવ વાઘ નામના વિદ્યાર્થીનું જાતિ તપાસ સમિતિએ અનુસૂચિત જનજાતિ (એસટી) પ્રમાણપત્ર રદ કર્યું હતું. જેના માટે બોમ્બે હાઈકોર્ટે સુનાવણી કરી હતી.
18 વર્ષના આદિવાસી વિદ્યાર્થીનું એન્જિનિયર બનવાનું સપનું પૂરું કરવા માટે કોર્ટે 15 ઓગસ્ટના રોજ સરકારી રજાના દિવસે આ મામલે સુનાવણી કરી હતી.ગૌરવ વાઘને ન્યાય અપાવતા, ન્યાયમૂર્તિ અવિનાશ ઘરોટે અને મનોહર ચંદવાનીની ડિવિઝન બેન્ચે જાતિ તપાસ સમિતિના નિર્ણયને બાજુ પર રાખ્યો હતો, જેણે દાવો કર્યો હતો કે, તે નિયુક્ત જનજાતિનો નથી.
એન્જિનિયરિંગમાં એડમિશન લીધા પછી, ગૌરવને તેની સીટ કન્ફર્મ કરવા માટે 16 ઓગસ્ટના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં તેનું જાતિનું પ્રમાણપત્ર સબમિટ કરવાનું હતું, જો તે આ કરવામાં નિષ્ફળ જાત તો તેનું એડમિશન કેન્સલ કરી દેવામાં આવત.
આ મામલાની સુનાવણી કરતી વખતે બેન્ચે ટિપ્પણી કરી હતી કે, આ ખૂબ જ વિચિત્ર સ્થિતિ છે કારણ ,કે અરજદારના પિતા પાસે માના જાતિનું જાતીનું પ્રમાણપત્ર છે. સમિતિના નિર્ણયથી પિતા આદિવાસી અને પુત્ર બિન આદિવાસી બની ગયો છે. ન્યાયાધીશોએ કહ્યું કે, તપાસ સમિતિએ કહ્યું કે તેમના પ્રમાણપત્રને નકારી કાઢવું યોગ્ય નથી.
કોર્ટે ટાંક્યું કે ‘મહારાષ્ટ્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકૃત જાતિઓ, વિચરતી જાતિઓ, અન્ય પછાત વર્ગો અને વિશેષ પછાત વર્ગો (જાતિ પ્રમાણપત્રો અધિનિયમ, 2000)માં નિર્ધારિત પ્રક્રિયા નહોતી. તેથી અરજદારના દસ્તાવેજો નકારી શકાતા નથી. આ માન્યતા પ્રમાણપત્રો તેમની પાસે રહેશે ત્યાં સુધી તેઓ મેદાનમાં રહેશે અને તપાસ સમિતિને પણ બંધનકર્તા રહેશે.”