મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા
![](http://www.samacharviswa.com/wp-content/uploads/2023/08/download-72-1.jpg)
નવી દિલ્હી
મણિપુર હિંસા કેસની સુનાવણી હવે ગુવાહાટી હાઈકોર્ટમાં થશે. સુપ્રીમ કોર્ટે આજે મણિપુર હિંસાના 27 કેસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આસામની કોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે.
સુપ્રીમ કોર્ટે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને મણિપુર હિંસાના 27 મામલાઓનો સામનો કરવા માટે ગુવાહાટીમાં એક અથવા વધુ ન્યાયિક મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ જજોની નિમણૂક કરવા વિનંતી કરી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આરોપીની પેશી અને રિમાન્ડ ઓનલાઈન થશે તેમજ પીડિત અને સાક્ષિઓ કોર્ટમાં ફિઝિકલના બદલે ઘરેથી ઓનલાઈન જુબાની આપી શક્શે. આ સિવાય મણિપુરમાં સ્થાનિક મેજિસ્ટ્રેટની સામે 164 હેઠળ સાક્ષીઓ અને પીડિતોના નિવેદન પણ નોંધવામાં આવશે. આ સાથે મણિપુરમાં આરોપીઓની ન્યાયિક કસ્ટડી પણ આપવામાં આવશે.