હિન્દુ ધર્મની શરૂઆત ક્યારે થઇ તેને લઇને હજુ સવાલઃ જી.પરમેશ્વરે

Spread the love

કર્ણાટકના મંત્રી જી.પરમેશ્વરે હિન્દુ ધર્મ અંગે સવાલો ઊઠાવતા વિવાદ છંછેડાવાની અને સનાતન ધર્મ અંગેનો વિવાદ વધુ વકરવાની શક્યતા

નવી દિલ્હી
લોકસભા ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો ફરી ધર્મને મુદ્દો બનાવવા લાગ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનની સનાતન ધર્મ અંગે ટિપ્પણી બાદ હોબાળો થઈ જવાથી વિવિધ નેતાઓ આ મામલે પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન તાજેતરના ઘટનાક્રમમાં કર્ણાટકના મંત્રી જી.પરમેશ્વરે હિન્દુ ધર્મ અંગે સવાલો ઊઠાવ્યા હતા. જોકે હવે તેમના સવાલોથી પણ વિવાદ છંછેડાવાની અને સનાતન ધર્મ અંગેનો વિવાદ વધુ વકરવાની શક્યતાઓ વધી ગઈ છે.
કર્ણાટકના મંત્રી જી.પરમેશ્વરે કહ્યું કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મની શરૂઆત વિશે બધા જાણે છે પણ હિન્દુ ધર્મની શરૂઆત ક્યારે થઇ તેને લઇને હજુ સવાલ ઊભો થાય છે. અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે દુનિયાના ઈતિહાસમાં અનેક ધર્મનો ઉદય થયો. જૈન અને બૌદ્ધ ધર્મનો જન્મ અહીં જ થયો. હિન્દુ ધર્મનો જન્મ ક્યારે થયો અને તેની શરૂઆત કોણે કરી, આ હજુ પણ એક મોટો સવાલ છે. આપણા દેશમાં બૌદ્ધ ધર્મ, જૈન ધર્મની ઉત્પત્તિનો ઈતિહાસ છે. ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ આપણા દેશમાં વિદેશથી આવ્યા. નવી દિલ્હીદુનિયાના તમામ ધર્મોનો સારાંશ માનવ જાતિ માટે સારું હોવું છે.

Total Visiters :114 Total: 1091857

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *