અદાણી અમદાવાદ મેરેથોનનું લેન્ડમાર્ક એડિશન શહેરની મેગા ઈવેન્ટ બની

Spread the love

20000થી વધુ લોકો રમણીય રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે દોડવા માટે ભાગ લીધો

અમદાવાદ

 અદાણી અમદાવાદ મેરેથોન 2023 શહેરમાં 26 નવેમ્બર,2023 (રવિવાર)ના રોજ યોજાનારી મેગા ઈવેન્ટ માટે તમામ સુવિધાઓ સાથે સજ્જ છે. અદાણી સ્પોર્ટ્સલાઇન અને તેના સ્ટેકહોલ્ડર્સ દ્વારા દરવર્ષે યોજાતી દોડ અદાણી અમદાવાદ મેરેથોને શુક્રવારે એક મીડિયા કોન્ફરન્સમાં તબીબી સુવિધાઓ અને રૂટ સહિતની તમામ વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ અને આરોગ્ય વિભાગ સાથે રૂપરેખા જારી કરી હતી.

અદાણી અમદાવાદ મેરેથોનની સાતમી આવૃત્તિમાં 20,000થી વધુ સહભાગીઓ નવા કોર્સમાં દોડતા જોવા મળશે, જે શહેરના મધ્યમાં સ્થિત છે. દોડવીરો સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા મનોહર રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક, પાલડી ખાતેથી શરૂ થઈ ત્યાં જ પૂર્ણ થશે. જે રૂટ આઇકોનિક અટલ બ્રિજ પરથી પણ પસાર થશે.

આ મેગા ઈવેન્ટમાં ફુલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિમી રન અને 5 કિમી રન ઉપરાંત, 7મી એડિશનમાં ખાસ વ્હીલચેર કેટેગરી જોવા મળશે.

આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી કમિશનર પોલીસ નીતા દેસાઈ, અમદાવાદ એડિશનલ કમિશનર પોલીસ નિરજ કુમાર બડગુજર, રિવરફ્રન્ટ પોલિસી સ્ટેશન અમદાવાદના પીઆઈ એમવી પટેલ, અદાણી  અમદાવાદ 2023 માટે મેડિકલ ઈનચાર્જ કાર્ડિયોલોજિસ્ટ એન્ડ ફિઝિશિયન ડૉ. નેહલ સાધુ તેમજ રેસ ડિરેક્ટર ડેવ કન્ડી ઉપસ્થિત રહેશે.

વ્યવસ્થાઓ વિશે માહિતી આપતાંનાયબ પોલીસ કમિશનર નીતા દેસાઈએ જણાવ્યું હતું કે, સુગમ સંચાલન માટે અમારી પાસે પોલીસ વિભાગ તરફથી બે મુખ્ય ઘટકો છે – ટ્રાફિક અને કાયદો અને અમલીકરણ – અમે અદાણી અમદાવાદ મેરેથોન 2023નો ભાગ બનવા માટે ઉત્સાહિત છીએ કારણ કે આવા કાર્યક્રમોમાં ભાગ લેવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે અમદાવાદના લોકોને વિનંતી કરીએ છીએ કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને શહેરના કાર્યક્રમમાં પૂરા દિલથી ભાગ લે.”

અમદાવાદ-રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ માટે લગભગ એક હજાર પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ભાગ લેનારાઓ અને દર્શકો બંને માટે ટ્રાફિક વ્યવસ્થાપન કરવા સમગ્ર શહેરમાં લગભગ 700 અધિકારીઓ તૈનાત છે. સુરક્ષા હેતુઓ માટે સમગ્ર રૂટ પર મેડિકલ સુવિધાઓ સાથેદોડવીરો માટે બે જગ્યા ધરાવતા પાર્કિંગ ફાળવવામાં આવ્યા છે.

અદાણી અમદાવાદ 2023ના મેડિકલ ઈન્ચાર્જ ફિઝિશિયન એન્ડ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નેહલ સાધુએ જણાવ્યું હતું કે, મેરેથોન ઈવેન્ટમાંપ્રતમ વખત સ્ટાર્ટ-ફિનિશ પોઈન્ટ પર આખી મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છેજ્યાં અમે સહભાગીઓને પ્રાથમિક તબીબી સારવાર પૂરી પાડવા માટે સક્ષમ છીએ. મેરેથોનના રૂટમાં પ્રત્યેક 1 કિમીની રેન્જમાં ઓન-કોલ 108 એમ્બ્યુલન્સનર્સિંગ અને હાઇડ્રેશન કેન્દ્રો ઉપલબ્ધ હશે. અમે આશા રાખીએ છીએ કે કોઈ ગંભીર તબીબી સમસ્યાઓ નહીં હોયઅને આવા સંજોગો ટાળવા માટે તમામ સહભાગીઓએ હાઇડ્રેટેડ રહેવું જોઈએ.

રેસ ડિરેક્ટર ડેવ કન્ડીએ જણાવ્યું હતું કેઅમદાવાદમાં આવવા બદલ હું ઉત્સુક છું. અદાણી અમદાવાદ મેરેથોનમાં આ મારું પ્રથમ વર્ષ છે. અત્યારે તે ખૂબ જ સારી ભારતીય મેરેથોન છે, પરંતુ તેમાં રેસ ડિરેક્ટર તરીકે તેને આગામી વર્ષોમાં વર્લ્ડ ક્લાસ ઈવેન્ટ બનાવવાનો પ્રયાસ કરીશ. અમે ઈવેન્ટને નાના શહેરોમાંથી મોટા મહાનગરમાં લઈ આવ્યા છીએ. જે આ ઈવેન્ટની રૂપરેખામાં વધારો કરવાનું અમારુ મહત્વનું પ્રથમ પગલું છે

ભારતની બીજી સૌથી મોટી ફૂલ મેરેથોન, જે ભારતીય સશસ્ત્ર દળોના ચેમ્પિયન #Run4OurSoldiers પહેલ પ્રત્યે આભાર અને સન્માન વ્યક્ત કરે છે. જેમાં 2500થી વધુ સશસ્ત્ર અધિકારીઓ અને સેંકડો પોલીસ અધિકારીઓ દોડવીર તરીકે ભાગ લેતા જોવા મળશે. તેનું ફ્લેગ ઓફ સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર મિથાલી રાજ અને ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર દ્વારા કરવામાં આવશે.

Total Visiters :106 Total: 678425

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *