આપણે આપણું દીલ કહે એજ કરવું જોઈએઃ શોએબ મલિક

Spread the love

ભલે તમને એ શીખવામાં સમય લાગી જાય કે લોકો શું વિચારશે? તમે તમારા દિલનું સાંભળો ભલે પછી 10 વર્ષ લાગી જાય કે પછી 20 વર્ષ લાગી જાય

કરાંચી

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે 18 જાન્યુઆરીએ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા હતા. લગ્નના બે દિવસ બાદ આ કપલે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વેડિંગ ફોટોસ શેર કરી તમામને અચરજ પમાડ્યું હતું. સના દ્વારા નિકાહની જાહેરાત બાદ સ્પષ્ટ છે કે શોએબે તેની બીજી વાઈફ સાનિયા મિર્ઝાને તલાક આપી દીધા હતા.

સના જાવેદ સાથે લગ્ન બાદ શોએબ મલિકને ચારેકોરથી ટ્રોલ કરાયો હતો. આ સૌની વચ્ચે હવે તેણે મૌન તોડ્યું છે. એક પોડકાસ્ટ દરમિયાન શોએબ મલિક કહી રહ્યો છે કે આપણે એ જ કરવું જોઇએ જે આપણું દિલ કહે. એ ન વિચારવું જોઈએ કે લોકો શું વિચારશે. ભલે તમને એ શીખવામાં સમય લાગી જાય કે લોકો શું વિચારશે? તમે તમારા દિલનું સાંભળો ભલે પછી 10 વર્ષ લાગી જાય કે પછી 20 વર્ષ લાગી જાય.

ઉલ્લેખનીય છે કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાએ 2010માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. તેમનો એક દીકરો ઈજહાન પણ છે. શોએબ અને સાનિયા મિર્ઝા હવે સાથે મળીને તેનો ઉછેર કરશે. સાનિયાના પરિવારનો દાવો છે કે સાનિયાએ તેના પતિથી ‘ખુલા’ લઈને અલગ માર્ગ અપનાવ્યો હતો.

Total Visiters :70 Total: 678359

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *