ઓન્ટારિયોમાં ઘરમાં આગથી ભારતીય મૂળનાં 3નાં મોત

Spread the love

પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી, પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે

ટોરેન્ટો

કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં એક અઠવાડિયા પહેલાં ઓન્ટારિયોમાં એક ઘરમાં આગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. હવે ખુલાસો એ થયો છે કે આ તમામ મૃતકો ભારતીય મૂળના હતા. જેમની ઓળખ રાજીવ વારિકુ (51), તેમની પત્ની શિલ્પા (47) અને તેમની દીકરી મહેક વારિકુ (16) તરીકે થઈ હતી.

માહિતી અનુસાર મૃતકોના બળી ગયેલા અવશેષોની ઓળખ શુક્રવારે થઇ શકી હતી જેના બાદ આ દુઃખદ માહિતીનો ખુલાસો થયો હતો. પોલીસે જણાવ્યું કે આગ ઓલવાયા બાદ તપાસકારોને બળી ગયેલા ઘરમાંથી માનવીના અવશેષો મળ્યા હતા પણ તે સમયે મૃતકોની કોઈ ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નહોતી. એક મીડિયાના અહેવાલ અનુસાર પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી. પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે.  

Total Visiters :48 Total: 678672

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *