રાજ્યના કેટલાક સ્થળે હળવા વરસાદી ઝાપટાંની શક્યતા

Spread the love

સૌરાષ્ટ્ર-કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશનથી વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી

અમદાવાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે.જેના પગલે આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે રાજ્યમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે.જેના પગલે આવતીકાલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.સાથે છોટાઉદેપુર, વડોદરા, દીવ, અમરેલી ભાવનગરમાં પણ વરસાદ પડી શકે છે.

આ તરફ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથમાં પણ હળવા વરસાદી ઝાપટાની આગાહી છે. તેમજ આજે વલસાડ, નવસારી, ભાવનગર, ગીર સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે.વરસાદી અસરને પગલે આગામી બે દિવસમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટી શકે છે.અમદાવાદ અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ વડોદરા, પાલનપુર સહિતના વિસ્તારમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, ભૂજ સહિતના વિસ્તારમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરતમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Total Visiters :50 Total: 679022

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *